વીતરાગ

આંખથી વેધક વૈશાખી રજ ખરે
મહીં તું જ વાયરા-શી ફરફરે,
એને જ જો નથી આવવું અહીં
કોઈ એની ઈચ્છાનું શું કરે ?
ભટકતો રહું ઘટ્ટ અંધાર-શો
અરે, કોઈ તો મને દીવો ધરે,
મૂળમાં જ અગન મારી ઓછી
વર્ષોની રાખ વળી ગઈ ઉપરે,
નથી અમથીય એની બીક મને
મારામાંનું જ કંઈક મારાથી ડરે.

નિસર્ગ આહીર : ફેબ્રુઆરી ૧૬, ર૦૦૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *